<img src="https://web.archive.org/web/20210509184556im_/https://sb.scorecardresearch.com/p?c1=2&amp;c2=20082108&amp;cv=2.0&amp;cj=1"> 100 patients died of covid in civil after the first-second dose of corona vaccine
The Wayback Machine - https://web.archive.org/web/20210509184556/https://sandesh.com/100-patients-died-of-covid-in-civil-after-the-first-second-dose-of-corona-vaccine/
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોના રસીના પહેલા-બીજા ડોઝ પછી એકલા અમદાવાદની સિવિલમાં 100 દર્દીનાં કોવિડથી મોત

કોરોના રસીના પહેલા-બીજા ડોઝ પછી એકલા અમદાવાદની સિવિલમાં 100 દર્દીનાં કોવિડથી મોત

 | 6:45 am IST
  • Share

કોરોના વિરોધી રસીનો પહેલો કે બીજો ડોઝ લીધા પછી  એકલા અમદાવાદની સિવિલની કોવિડ હોસ્પિટલોમાં જ અત્યાર  સુધીમાં ૧૦૦ જેટલા દર્દીઓનાં મોત થયાં છે, આ દર્દીઓમાં  કોરોનાના શંકાસ્પદ અને કોરોના પોઝિટિવ સામેલ હોવાનું  ટોચના અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે.

બીજી તરફ છેલ્લા એક  સપ્તાહમાં સુરતના બે ડોક્ટર અને અમદાવાદના એક એમ કુલ ત્રણ  ડોક્ટર કે જેમણે રસીના બે ડોઝ લીધા હતા, રસી લીધાના એક-બે  મહિના પછી કોરોનાના કારણે તેમના મોત થયા હોવાનું  ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ  પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું છે. પહેલો ડોઝ લીધા પછી  કોઈ સામાન્ય દર્દીનું મોત થયું હોય તો માની શકાય કે  ઈમ્યુનિટી ડેવલપ થઈ ન હોય, આ ઉપરાંત બે ડોઝ વાળા સામાન્ય  દર્દીને ચોક્કસ સમય થયો ન હોય, ઉંમર હોય, બીજી બીમારીઓ  હોય, અલબત્ત, આ બધી બાબતો એક સંશોધનનો વિષય છે તેમ  તેમણે જણાવ્યું હતું.

અમદાવાદની સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલોમાં જ  તાજેતરમાં જ કોરોના રસીના પહેલાં કે બીજો ડોઝ લીધો હોય  તેવા ૧૦૦ જેટલા દર્દીનાં મોત થયા છે, રસી લીધા પછી મોત  થયાના કારણ અંગે પૂછતાં ડોક્ટર જરદોશે જણાવ્યું હતું કે,  પહેલાં ડોઝ પછી મોત થયું હોય તો માની શકાય કે, ઈમ્યુનિટી  ડેવલપ નથી થઈ, બીજા ડોઝમાં ઈમ્યુનિટી ડેવલપ થવાનો સમય  પૂરો ન થયો હોય, એવું પણ બની શકે કે, મ્યુટન્ટ વાયરસ  કદાચ વધારે ઘાતકી હોય, જે તે દર્દીને અન્ય બીમારી હોય, ઉંમર  હોય તે બધી બાબતો સંશોધનનો વિષય છે.

બે રસી લીધાના  એક બે મહિના પછી ત્રણ ડોક્ટરના કોવિડથી મોત થયા છે, આ  બધી બાબતો પર આગામી દિવસોમાં સર્વે કરાશે, આ બાબતો  સંશોધનનો વિષય છે. જે તે દર્દીએ બે ડોઝ લીધા પછી  એન્ટિબોડી ચેક કરાવી હતી કે કેમ? બીમાર પડયા પછી કેટલા  સમયગાળામાં દાખલ થયા તે સહિતની બાબતો પણ ચકાસવી  પડે.

છેલ્લા સપ્તાહમાં વધુ છ ડોક્ટરોનાં મોત થયા છે, જેમાં  ત્રણ ડોક્ટરો રસીના બે ડોઝ લેનારા હતા. અત્યારે કોઈ બાબતે  ધારણા બાંધી લેવાની જરૂર નથી, રસી લીધા પછી બિન્ધાસ્ત  થવાને બદલે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન